દૂધાળું જાનવરોના પ્રજનન અંગે વ્યવસાયિક પદ્ધતિ ની વિચારધારા

જાનવરોના ઉત્પાદન માં પ્રજનન પદ્ધતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રજનન પદ્ધતિનો આધાર ડાયોનિ સંખ્યા, માલિકની પસંદ-નાપસંદ અને ઓલાદની કે તબેલાની નોંધણી કરાવવી કે કેમ પર આધાર રાખે છે.મૂળભૂત રીતે પ્રજનનની બે પદ્ધતિઓ છે. શુદ્ધ પ્રજનન  એ ઓલાદ અંગેની સંસ્થામાં નોંધણી માટે હોય છે. આવી ઓલાદ અશુદ્ધ ઓલાદ કરતા સારું પરિણામ આપે છે. ગણા વ્યવસાયિક દૂધ ઉત્પાદકો સંકારીકરણ વધુ પસંદ કરે છેઅને જાનવરોં સંકરિત તાકાત હોવાથી સારું પ્રદર્શન કરે છે.

પ્રજનનની પરિભાષા મુજબ નર અને માદા ના શારીરિક સમાગમથી નિર્ધારિત ગુણોવાળી ઓલાદ ઉત્પન્ન કરવી તે છે. પ્રજનનની મુખ્યત્વે બે પદ્ધતિ છે.

  1. સજાતિ પ્રજનન  2) વિજાતિ પ્રજનન

સજાતીય પ્રજનન : સજાતીય પ્રજનન એટલે કે  નજીકના સબધી જાનવરનો સમાગમ કરાવવો જે અન્ય  જાનવરોના સબધ કરતા વધુ નજીકના હોય. દાંત જેના એક કે વધુ વંશ હોય.આવા પ્રજન્નનુ માપદંડ એ પ્રજનનના ગુણાંક છે. સજાતીય પ્રજનન એ નજીકનું પ્રજનન કે લાઈન પ્રજનન હોઈ શકે.

નજીકનું પ્રજનન એટલે કે એકદમ નજીકના જાનવર જેમકે બે ભાઈઓ નો સમાગમ બે બહેનો સાથે કરાવવો અથવા તેની ઓલાદનો સમાગમ  માતા પિતા સાથે કરાવવો।

લાઈન પ્રજનન પદ્ધતિમાં તેના  ઉત્કૃષ્ટ સાથે ફરીથી સમાગમ કરાવવોજેથી તેની ઓલાદમાં વધુ ગન આવે. આ પદ્ધતિમાં કોઈ પસડિલા જાનવરના ખાસ ગુણોનો વધારો કરવા માટે હોય છે. આ પદ્ધતિથી ઈચ્છીત પ્રકારની એકસૂત્રતા આવે છે પરંતુ પ્રજનન ઓછું થવાનો ભય રહે.

એક જ ઓલાદના પ્રજનનના ફાયદા

1)આ પદ્ધતિથી અનિચ્છનીય દબાયેલ જનીનની જાણી શકતા થતા તેને દૂર કરી શકાય છે.

2)એક સૂત્રતા વધવાથી વાશીક તફાવત ઓછો કરી શકાય છે.

3)જાનવરોને જુદી  જુદી ઓલાદને એક સૂત્રિય  પ્રજાતીમાં મૂકી શકાય છે.

સજાતીય ઓલાદના પ્રજનનના ગેરફાયદા।

  1. ઓલાદ બીમારીની  શિકાર જલ્દી થાય છે.
  2. પ્રજનનના પ્રશ્ન અને ગર્ભધારણના પ્રશ્નો વધે છે.
  3. પદ્ધતિની આડઅસરને અટકાવવુ એ જાણવું મુશ્કેલ છે.
  4. આયુષ્યના પાછળ તબક્કા કરતા પ્રાથમિક તબક્કામાં સ્ફૂર્તિ ઓછી થઇ જાયછે।
  5. નાના સંવર્ધકને સજાતીય ઓલાદના પ્રજનનમાં સારો ફાયદો થાય છે.
  6. સજાતીય ઓલાદની ડેરી પશુ પ્રજનન કાર્યક્રમમાં ઓછું મહત્વ છે કારણકે તેનાથી ગણી નુકસાન કર્ક અસર થાય છે.